‘લો, આ શિક્ષણમંત્રીએ રાજીનામું તો આપી દીધું, પણ આખા શિક્ષણતંત્રમાં જે સડો ઘૂસી ગયો છે એનું શું ?’ અમે અમારા ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ સમાન રણઝણસિંહ આગળ બળાપો કાઢ્યો. પણ એ તો ચૂપચાપ ઝીણું ઝીણું હસતા રહ્યા. અમે વધુ બળાપો કાઢ્યો : ‘જો આમ જ ચાલ્યું તો દર વરસે લાખોની સંખ્યામાં ભણેલા બેરોજગારો બહાર પડતા રહેશે. છેવટે એમનો જ આક્રોશ ભડકી ઊઠશે તો ચોક્કસ નેપાળવાળી થઈ જવાની !’ ‘ઇં હંધાયનો એક જ ઉપાય છે… શિક્ષણની વેલ્યુ જ ઘટાડી નાંખો !’ ‘વેલ્યુ ? એટલે કઈ રીતે ?’ ‘બંને રીતે ! હૌથી પહેલાં તો આ નિશાળું અને કોલેજુંમાં જે ચામડા ચીરી નાંખે છે એવી ફી લ્યે છે ઇને અડધી કરાવી નાંખો!’ ‘પણ એ તો શી રીતે -’ ‘હંધુય શક્ય છે ! એક જમાનામાં ઇન્કમટેક્સ ૯૫ ટકા હતો, ઈ ૩૦ ટકે આઈવો કે નંઈ ? એ જ રીતે ! બલ્કે, એનાથી વીસ ગણી ઝડપે કરોડો માબાપ ઉપરનો આ બોજો હળવો કરો.’ ‘એનાથી શું થશે ?’ ‘બે ચીજ થાશે. એક તો માબાપના જે અબજો રૂપિયા બચશે ઇ બજારમાં ઠલવાશે… આના કારણે બજારુંમાં તેજી આવશે… ને તેજીને કારણે નવી નવી રોજગારીયું ખુલશે.’ ‘જબરું ઇકોનોમિક્સ છે તમારું !’ ‘બીજી બાજુ ભણતરની જે ખોટી હાઈપ છે ઈનો ય ફૂગ્ગો ફોડવાની જરૂર છે.’ ‘આ હમજાયું ...
- Get link
- X
- Other Apps