તમે કદી સાહિત્યના કે જ્ઞાતિના સમારંભોમાં ગયા છો ? ત્યાં સ્ટેજ ઉપરથી એવાં એવાં બનાવટી અને દંભી વાક્યો બોલાતાં હોય છે કે… મનમાં ને મનમાં કંઈક સંભળાવી દેવાનું મન થઈ જતું હોય છે ! જેમકે… *** ‘ ફલાણાભાઈ વિશે એમની હાજરીમાં કંઈ કહેવું એ તો સુરજને દીવો બતાડવા જેવું છે…’ - હા પણ સુરજને દીવો જોવો જ ના હોય તો ? - એક કામ કરો, રાત્રે જ્યારે લાઈટ જાય ત્યારે દીવો બતાડવા આવજો ! - ઠીક છે, દીવો બતાડવાનું રહેવા દો.. પણ પાછો ખિસ્સામાં ના મુકતા ! નહીંતર એમ્બ્યુલન્સ બોલાવવી પડશે !’ *** ‘ મારી એ લાગણીને વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી !’ - તો બોલવાનું જ રહેવા દોને, ભૈશાબ ? - અચ્છા, એક કામ કરો. આ ડીક્શનેરી લો અને શબ્દો શોધો. ત્યાં લગી અમે પેશાબ પાણી કરીને આવીએ છીએ ! - લો, શબ્દો નથી ? તો ચીસો પાડો ! છાતી કૂટો ! આળોટવા માંડો ! પણ મોં બંધ રાખજો… બોલ્યા મોટા, શબ્દો જ નથી !’ *** ‘ એમના જવાથી સંસ્થાને બહુ મોટી ખોટ પડી છે !’ - તો સાહેબ, ચોપડા વ્યવસ્થિત રાખવા જોઈએ ને ? - અને એ હતા ત્યારે શું સંસ્થાને ખરેખર નફો હતો ? જો હતો તો ક્યાં ગયો ? - એમના જવાથી જે ખોટ પડશે એ સરભર કરવા માટે હવે બેન્કની લોન ...
- Get link
- X
- Other Apps