જે રીતે ‘ધૂરંધર-ટુ’ જોયા પછી જ આપણને ખબર પડી કે મોદીજીએ રાતોરાત નોટબંધી શા માટે કરવી પડી હતી… એ જ રીતે ‘ધૂરંધર-થ્રી’માં નવા નવા સસ્પેન્સો ખુલવાનાં છે ! *** મોદીજી જ્યારે વિદેશના મોટા મોટા નેતાઓને મળે છે ત્યારે મોટેથી હસીને ભેટે છે શા માટે ? હકીકતમાં તે વખતે મોદીજી હાથ મિલાવતી વખતે સામેની વ્યક્તિની ચામડીમાં એક એવી અદૃશ્ય માઈક્રોચીપ ઘૂસાડી દે છે જેના વડે એ લોકો કંઈપણ વાતો કરે તે આપણી જાસૂસી એજન્સી ‘રો’ને સંભળાતી રહે ! *** આ માઈક્રોચીપ્સને કારણે જ મોદીજીને ખબર પડી ગઈ હતી કે ઓઈલના ભાવ વધવાના છે ! એટલે ૬૦ દિવસનો સ્ટોક અગાઉથી ભરી રાખેલો ! અને એલપીજી ગેસની અછતથી બચવા માટે મોદીજીએ એવું સજ્જડ પ્લાનિંગ કરેલું કે જ્યારે જોરદાર તંગી ઊભી થાય ત્યારે માલદીવ ટાપુનાં જંગલો કાપીને એનાં લાકડાં ગામેગામ ગરીબોને મફતમાં ઘેરઘેર વહેંચી દેવાનાં ! *** પશ્ચિમ બંગાળની ચૂંટણી પાછળ શું ખેલ હતો, ખબર છે ? પેલો પ્રશાંત કીશોર, જે મમતા બેનરજીની પાર્ટી માટે ચૂંટણી પ્રચારની વ્યુહરચના બનાવતો હતો એ તો મૂળ ‘રો’નો જ જાસૂસ છે ! વરસોથી ! *** અને જ્યારે ઇડીએ પ્રશાંત કીશોરની કંપની ‘સી-પેક’ ઉપર છાપો માર્યો ત્...
- Get link
- X
- Other Apps