ભારતમાં બેરોજગારોની સમસ્યા રોજગાર ન હોવાથી નથી સર્જાઈ ! એનું મેઈન કારણ એ છે કે અહીં બેરોજગારોની કેટેગરીઓ બહુ ઊંચી છે ! જુઓ… *** ઓવર ક્વોલીફાઈડ : દર વરસે લાખોની સંખ્યામાં જે ગ્રેજ્યુએટો બહાર પડે છે એમને ટેબલ-ખુરશી (અને એસી)ના હોય એવું કામ કરવું જ નથી ! એટલે એ બધા બેરોજગાર છે. *** ઓવર એસ્ટિમેટ : આ એવા લોકો છે જે પોતાને કદી ‘અંડર એસ્ટિમેટ’ કરતા જ નથી ! એટલે એમનો સ્ટાર્ટિંગ સેલેરીનો ‘એસ્ટિમેટ’ જ એટલો ઊંચો હોય છે કે એમને નોકરી કદી મળતી નથી. (અને ઈગો પણ ઘટતો નથી.) *** ઓવર સ્માર્ટ : બાળપણથી જ હાથમાં સ્માર્ટફોન આવી જવાને કારણે આ લોકોને ‘નોકીયા’ ટાઈપના, એટલે કે ઉંમરવાળા લોકોના હાથ નીચે કે એમની સાથે કામ કરવાનું પસંદ જ નથી ! કેમકે એમના તો ‘ચોઈસ’ બહુ ઊંચા છે ને ? *** ઓવર રીચ : આવા યુવાનો ભલે પોતે પાઈની પેદાશ ન કરી શકતા હોય છતાં એમના મિડલ ક્લાસિયા મા-બાપો એમના ભણતર પાછળ બે પાંચ લાખ ખર્ચી ચૂક્યા છે ! એટલું જ નહીં, માબાપની બેન્ક-બચત પણ એટલી છે કે હજી બીજાં પાંચેક વરસ સુધી આને ‘પોષી’ શકે છે. ઘરનું ઘરેણું છે. *** ઓવર બિઝી : આ બેરોજગારો પાસે કામ તો છે ! દિવસમાં છ-સાત કલાક તો...
- Get link
- X
- Other Apps