એક બાજુ સોનમ વાંગચૂકે તો ઉપવાસ છોડીને ‘પારણાં’ કરી લીધાં ! એ પણ ભાજપના મોટા નેતા જેપી નડ્ડાને હાથે જ ! બીજી બાજુ પેલો અભિષેક દિપકે ‘માંદો’ પડી ગયો એટલે જંતર મંતરનો મંચ છોડી દીધો ! અને ત્રીજી બાજુ આખું આંદોલન રાહુલ બાબાએ પોતાના ખભે ઉપાડી લીધું… તો આખી વાતમાં ‘સમજવા’ જેવું શું હતું ? *** આખી વાતમાં જો મોદીજીએ નીટનાં ભોપાળાં પછી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લઈ લીધું હોત તો આમાંનું કશું થાત જ નહીં ને ? *** અચ્છા, રાજીનામું નહીં તો મંત્રીમંડળમાં ફેરફારને બહાને (જેનું આખું લિસ્ટ મોબાઈલમાં ઓલરેડી ફરતું હતું) ધર્મેન્દ્ર પ્રધાનને ચૂપચાપ વિદાય આપીને ઘેરે બેસાડી દીધા હોત તોય આમાંનું કશું ના થાત ! *** અરે, જે રીતે પોલીસ ‘માથાભારે’ તત્વોને ડંડા માર્યા હોય એ રીતે જાહેરમાં એમને લંગડાતી ચાલે ચલાવીને સરગસ કાઢે છે, એ રીતે નીટનું પેપર ફોડનારાંનાં સરઘસો કાઢ્યાં હોત… (અહીં તો પબ્લિકને એ લોકો ઉપર છૂટ્ટાં જૂતાં મારવાની તક પણ મળી હોત) તો પણ આમાંનું કશું ના થયુ હોત ! *** છેલ્લે, કંઈ નહીં તો જે રીતે પુરગ્રસ્ત પરિવારો માટે રાહતનું પેકેજ જાહેર કરીને ફોટા પડાવે છે એ જ રીતે ‘આપઘાતગ્રસ્ત’ પર...
- Get link
- X
- Other Apps