આંદોલન પતી ગયું. જેન-ઝિ કહે છે અમારો વિજય થયો… ભાજપવાળા કહે છે કે મોદીજીએ દેશને ‘બચાવી લીધો !’ (૪૦ દિવસ પહેલાં તો ‘હૂમલો’ જ નહોતો થયો, એટલે શી રીતે બચાવે ?) આ સિવાય પણ બીજી ‘સળી’ છે… *** પેલા અભિષેક દિપકેને લઈને હવે ગામેગામ સરઘસો નહીં કાઢે ? (આમ તો એને ‘ફૂલેકું’ પણ કહેવાય.) કેમકે ભાજપવાળા તો આનાથી પણ નાની વાતમાં ઠેર ઠેર ‘વિજયયાત્રા’ કાઢતા હોય છે ! *** કમ સે કમ ‘વિદેશી તાકાતોનાં હાથ હેઠાં પાડી દીધાં’… એ બહાને તો ભાજપે સરઘસો કાઢવાં જ જોઈએ ! *** જે રીતે પાકિસ્તાનમાં કોઈ ગુપ્ત એજન્ટ દેશના દુશ્મનોને વારાફરતી મારી નાંખે છે, એ ટાઈપનું ‘વ્યાપમ’ ગ્રુપ ભારતમાં જ કામે લાગી જાય તો કેવું ? (અરે, વિદેશમાં પણ કોઈને ઠોકી દીધા પછી કહેવાનું કે એ પેપર લીક કરીને ‘દેશને ખોખરો કરવાના કૌભાંડનો સૂત્રધાર’ હતો !) *** અચ્છા, જોવાની વાત એ પણ છે કે જે જેન-ઝિ પેઢી સ્કુલ-કોલેજોની એસાઈનમેન્ટો તો ‘ચેટજીપીટી’ વડે સીધી કોપી-પેસ્ટ કરી નાંખે છે… એમને જ ‘પેપર લીક’ સામે વાંધો હતો ? બહુ કહેવાય… *** જરા યાદ કરો, ૨૦૨૦માં કોરોનાને લીધે આ જ જેન-ઝિ પેઢી એક્ઝામો આપ્યા વિના પાસ થઈ ગઈ હતી ! એમને હવે પેપર...
- Get link
- X
- Other Apps