આંદોલનો અગાઉ પણ થતાં હતાં અને આજે પણ થાય છે. પરંતુ ’૭૦ના દાયકાનાં આંદોલનો અને આજનાં આંદોલનોમાં બહુ મોટા તફાવતો છે…. *** યાદ છે ? નવનિર્માણ આંદોલન વખતે ૧૦૦થી વધુ યુવાન વિદ્યાર્થીઓનાં પોલીસ ગોળીબારમાં મોત થયાં હતાં. શું એની કોઈ ચર્ચા કોઈ વિધાનસભા કે લોકસભામાં થઈ હતી ખરી ? અને અહીં જંતર મંતરમાં લાઠીચાર્જ થયો, એમાં તો હોહા મચી ગઈ છે ! બીજા પણ ઘણાં ફરક છે… *** એ વખતે ‘ભારત બંઘ’ ‘ગુજરાત બંધ’ ‘અમદાવાદ બંધ’ જેવાં એલાનો છાશવારે થતાં હતાં. અને ધડાધડ દુકાનો બંધ થઈ જતી હતી. અને આજે ? ખુદ સરકાર ‘ઇન્ટરનેટ બંધ’ ‘મેટ્રો સ્ટેશન બંધ’ અને ‘રસ્તા બંધ’ કરાવી નાંખે છે ! *** એ વખતે કોઈ ચેતવણી વિના અચાનક અને સ્વયંભૂ આંદોલનો ફાટી નીકળતાં હતાં… આજે આંદોલન કરતાં પહેલાં સરકાર પાસે પરવાનગી માગવી પડે છે ! ‘પ્લીઝ, તમારો વિરોધ કરવા દો ને… પ્લીઝ !’ - હદ થઈ ગઈ, યાર ? *** એ વખતે અમુક આંદોલનો એવા હતાં (ખાસ તો ગાંધીજીનાં પૂતળાં પાસે) કે વીસ-પચ્ચીસ જણા ભેગા થાય, સુત્રો પોકારે, બેનરો બતાડે… અને પ્રેસવાળા આવીને ફોટા પાડી જાય કે તરત આંદોલન વિખેરાઈ જાય ! આજે આંદોલનો ૩૬-૪૦ દિવસ સુધી ચાલે છે જ એટલા માટે, ક...
- Get link
- X
- Other Apps