ઇઝરાયેલ-અમેરિકા અને ઇરાન વચ્ચે યુધ્ધ ફાટી નીકળ્યા પછી જાતજાતની ડરામણી આગાહીઓ આવી રહી છે. કોઈ કહે છે કે ૨૬ માર્ચે ભારત-પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થઈ જશે ! કોઈ કહે છે કે તમામ મુસ્લિમ દેશો એકબીજા સામે લડી લડીને ખુવાર થઈ જશે ! તો કોઈ કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ ચાલુ થઈ જશે ! પરંતુ અમને થાય છે કે આવા ટાઈમમાં આપણે રાજી રાજી થઈ જઈએ એવી આગાહીઓ થાય તો કેવી મજા પડે ! જેમ કે… *** ટ્રમ્પ ઉપર પાગલપણાનો જબરદસ્ત હૂમલો થશે ! અને એમને તાત્કાલિક મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવા પડશે ! *** ઇરાનના સુપ્રિમો ખામનેઈનું ભૂત ક્યાંકથી પ્રગટ થશે ! અને એની સાથે સૌથી પહેલી ખબર ભારતની ન્યુઝ ચેનલો પાસે જ આવશે ! પછી તો ૨૪x૭… *** પોતાની જાતને આઈન્સ્ટાઈન કરતાં પણ મોટા જિનિયસ ગણાવનાર નિત્યાનંદ એવો દાવો કરશે તે પોતાની દિવ્ય શક્તિ વડે ઇરાનનાં તમામ મિસાઈલો અને ડ્રોનને હવામાં જ ‘ફ્રીઝ’ કરી શકે છે ! ગલ્ફના દેશો એને આ તાંત્રિક વિદ્યા કરવા માટે બોલાવશે પણ ખરા ! પરંતુ એમનું વિમાન ઉડાન ભરતાંની સાથે જ હવામાં આખેઆખું ‘અદૃશ્ય’ થઈ જશે ! આમાંને આમાં યુદ્ધના સમાચારો બાજુમાં રહી જશે અને આ ‘ચમત્કાર’ની ચર્ચા છ દિવસ સુધી ચ...
- Get link
- X
- Other Apps