દેશમાં આ નવા રોગનો ફેલાવો અચાનક વધી ગયો છે ! આ રોગના દર્દીઓ મોટા ભાગે બહુ ભણેલા, લિબરલ (ખુલ્લા વિચાર ધરાવનારા) અને ખુબ જ લોજિકલ (એટલે કે ‘લાગણી’થી નહીં પણ ‘તર્ક’ વડે કોઈપણ ચીજને સમજનારા) લોકો હોય છે ! હવે ‘ફોબિયા’ શબ્દનો અર્થ પણ સમજી લો…. એનો અર્થ થાય છે ‘કાલ્પનિક ભય’ ! હવે તમે જ કહો, ભણેલા, લિબરલ અને લોજિકલ લોકોની ‘કલ્પનાશક્તિ’ આજકાલ કેટલી ‘તીવ્ર’ થઈ ગઈ છે ? *** એમ તો મોદીભક્તો પણ એવી વાતો ફેલાવતા હતા કે ‘રાહુલબાબા ભારતના ટુકડે ટુકડા કરી નાંખવાના પ્લાનિંગમાં છે !’ પણ આજે એ જ લોકોને આ વાત ‘જુની જોક્સ’ જેવી લાગે છે… *** બીજી બાજુ ‘મોદીફોબિયા’થી પીડાતા દરદીઓને જાતજાતના વિચારો આવી રહ્યા છે ! જેમકે… - આ આખી વૉર પાછળ મોદીજીની જ ચાલ છે ! તમે જોયું નહીં ? એ ૨૭મી ફેબ્રુઆરીએ ઇઝરાયેલથી પાછા આવ્યા કે તરત જ ૨૮મી ફેબ્રુઆરી ઇઝરાયેલે ઇરાનના ખોમનેઈને મારી નાંખ્યા ! આ આખી સિક્રેટ ઇન્ફરમેશન આપવા માટે જ મોદી જાતે ત્યાં ગયેલા ! *** અચ્છા, બીજા બધા દેશોએ પેટ્રોલ ડિઝલના ભાવો તો ક્યારના વધારી દીધા પણ ભારતમાં કેમ આટલી વાર લાગી ? કેમકે મોદીજીને ખબર જ હતી કે પેટ્રોલ ડિઝલની અછત થવાની છે, એટલે છ ...
- Get link
- X
- Other Apps