સૌથી પહેલો સવાલ તો એ થાય કે જો આજના સમયમાં ‘શરાબી’ જેવી ફિલ્મ બને તો કુલ કેટલી વાર ફિલ્મમાં પેલી પટ્ટી ચલાવવી પડે કે ‘મદ્યપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’ ? કેમ કે ફિલ્મના ૮૦ ટકા દૃશ્યોમાં તો બચ્ચન સાહેબ ‘પીધેલી’ હાલતમાં જ છે ! એ તો ઠીક, ફિલ્મનાં પોસ્ટરો ઉપર પણ એ સૂચના લખવી પડી હોત ! ફિલ્મમાં જ્યાં જ્યાં બાટલીનાં ‘દર્શન’ થાય છે ત્યાં ત્યાં ‘આઉટ ઑફ ફોક્સ’ કરીને ધૂંધળું ધૂંધળું કરવું પડ્યું હોત ! કહેવાય છે કે ગુજરાતના પ્રેક્ષકો તો અમિતાભને નહીં ‘બાટલીઓને’ જોઈને જ ખુશ થઈ જતા હતા ! બોલો. અચ્છા, ફિલ્મમાં અમિતાભ આટલો બધો શરાબી કેમ થઈ જાય છે ? તો સાહેબો, સ્ટોરીમાં એવું કહેવાયું છે કે એની મા મરી ગઈ હતી, અને બાબો જ્યારે જ્યારે રડે ત્યારે બાપ (પ્રાણ) એને ઊંઘાડી દેવા માટે બે ચમચી દારૂ પીવડાવી દેતો હતો ! લો બોલો. સ્ટોરીમાં આવા તો ઘણા ઝોલ છે પણ જાણવા જેવી વાત એ છે કે પ્રોડ્યુસર ડિરેક્ટર પ્રકાશ મહેરાએ ફિલ્મ બનાવતી વખતે ક્યાં ક્યાંથી ‘તૈયાર માલ’ ઉઠાવી લીધા છે…! જી હા, સૌથી પહેલો હાથ તો એમણે પોતાની જ ફિલ્મ ઉપર માર્યો છે ! ‘મુકદ્દર કા સિકંદર’માં અમિતાભ જ્યાં ને ત્યાં સડેલી વાહિયાત શાયરીઓ ફટકારે છે, જેમ ...
- Get link
- X
- Other Apps