ઇંગ્લેન્ડમાં ભારતીય ક્રિકેટ ટીમ જે શરમજનક રીતે ૪-૦થી હારી છે છે તે શરમજનક કરતાં ‘હાસ્યજનક’ વધારે ગણાવું જોઈએ… *** પાંચ મેચમાં ઇંગ્લેન્ડ ભારતને પહેલી મેચમાં તો ના જ હરાવી શક્યું… - કેમકે વરસાદ ભારતની મદદે આવ્યો હતો ને ! *** જોકે એ પછી ઇંગ્લેન્ડમાં વાદળોને પણ લાગ્યું કે ભારતની આ ટીમ તો બે ટીપાંને પણ લાયક નથી ! *** બુકીઓએ સટ્ટો લેવાનો જ બંધ કરી દીધો હતો. ઉલ્ટું સટ્ટો એ વાતો ઉપર લાગી રહ્યો હતો કે - - વૈભવ સૂર્યવંશી વધુમાં વધુ કેટલા રન કરી શકશે ? પાંચ, દસ, પંદર કે વીસથી ઓછા ? - એક ઓવરમાં સૌથી વધુ રન કોણ આપશે ? શિવમ્ દૂબે, અર્શદીપ સિંહ કે અક્ષર પટેલ ? - અને આજે ભારત ૧૦૦ રનથી હારશે કે ૧૦ વિકેટોથી ? *** અચ્છા, વૈભવ સૂર્યવંશી ફોર્મમાં નહોતો, અભિષેક શર્મા ફોર્મમાં નહોતો, ઇશાન કીશન ફોર્મમાં નહોતો, શિવમ્ દુબે ફોર્મમાં નહોતો, અક્ષર પટેલ પણ ફોર્મમાં નહોતો ! રાઈટ ? - હવે યાદ કરો. સૂર્યકુમાર યાદવને શા માટે ટીમમાંથી કાઢી મુક્યો હતો ? કેમકે એ ‘ફોર્મ’માં નહોતો ! *** અમુક પંડીતો હારનું કારણ બતાડતાં કહે છે કે ભારત કરતાં ઇંગ્લેન્ડનાં મેદાનો મોટાં છે, એટલે બાઉન્ડ્રી થોડી દૂર હો...
- Get link
- X
- Other Apps