જીવનમાં સફળતા માટે કંઈ મોટીવેશનલ સેમિનારોમાં જવાની જરૂર નથી. એના માટે છૂટાંછવાયાં સુવાક્યો જ પુરતાં છે ! જુઓ.. *** પહેલાં ‘દિલ’નું સાંભળો… પછી ‘દિમાગ’નું સાંભળો.. અને છેવટે એ જ કરો જે કરવાની સૌ ‘ના’ પાડી રહ્યા છે ! *** બારમામાં નાપાસ થનારા નિરાશ ના થશો.. તમારી આજુબાજુના અંકલોને જુઓ, એમણે પાસ થઈને શું મોટી ધાડ મારી છે ? *** જમાનો કેટલો સારો થઈ ગયો છે… પહેલાં મા કહેતી હતી ‘બેટા, સવાર થઈ ગઈ, હવે ઊઠી જાવ.’ હવે મા કહે છે ‘બેટા, સવાર થવા આવી, હવે તો સૂઈ જા ?’ *** તમે માર્ક કરજો… લગ્નોમાં કુંવારાઓ સૌથી વધુ જોવા મળશે. અને સ્મશાનયાત્રામાં ઘરડાઓ વધુ દેખાતા હશે. કેમ ? કેમકે બંનેના મનમાં એમ હોય છે કે ‘હું નહીં જાઉં, તો મારામાં કોણ આવશે ?’ *** કોણ કહે છે કે ભારતના લોકો ગરીબ છે ? ૧૯૯૬માં જે ભાવે આપણે પેટ્રોલ ખરીદતા હતા… એ ભાવે તો આજે આપણે પાણીની બોટલ ખરીદી લઈએ છીએ ! બોલો. *** તમને કદી વિચાર આવ્યો છે ? કે… ‘નીટ’ની એક્ઝામમાં ૯૫ ટકા માર્ક્સ અપાવવાની ગેરંટી આપતા ક્લાસિસના ટીચરો… પોતે કેમ ડોક્ટર નથી બની શક્યા ? *** આજકાલ વડીલો નવરા થઈ ગયા છે. કેમકે બીજાઓને સાચો રસ...
- Get link
- X
- Other Apps