અમે અમારા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ સમાન રણઝણસિંહને સીધો જ સવાલ કર્યો : ‘આ બંગાળમાં જે સત્તાપલટો થયો એના વિશે તમારે શું કહેવું છે ? કંઈક જ્ઞાન આપો.’ ‘મન્નુડા, એક નંઈ, તને પાંચ જ્ઞાન દઉં.’ ‘ઓહો ?’ ‘જો, પહેલું જ્ઞાન… આપણા દેશની પરજા વરસો લગી અવ્યવસ્થા અને રેઢિયાળ વહવટ સહન કરી લેશે’ ‘વાત સાચી જ છે.’ ‘બીજું જ્ઞાન… ભારતની પરજા અન્યાયને પણ વરસો લગી ખમી લેશે.’ ‘હાસ્તો ? કોર્ટોમાં જુઓને, વરસોનાં વરસો લગી ન્યાય ક્યાં મળે છે ?’ ‘ત્રીજું જ્ઞાન… પરજા હવે તો ખુલ્લેઆમ ચાલી રહેલો ભ્રષ્ટાચાર પણ સહન કરી જ લ્યે છે.’ ‘છે જ ને ? પૂલો તૂટી પડે છે, કાગળ ઉપર જ રોડ બની જાય છે, કરોડોનાં આંધણ છતાં પ્રોજેક્ટો પૂરા જ નથી થતા… છતાં એ જ પક્ષને વોટ મળે છે !’ ‘હવે ચોથું જ્ઞાન હાંભળ… આ હંધુય હોવા છતાં પરજા પોતાના ધરમનું સતત અપમાન થાતું હોય ઈ સહન કરી હકતી નથી.’ ‘બિલકુલ સાચી વાત. કોંગ્રેસ અને બીજા વિપક્ષો વારંવાર એ ભૂલ કરે છે. મમતાએ પણ એ જ ભૂલ કરી.’ ‘અને પાંચમું જ્ઞાન… પરજા ઈ પણ સહન કરી લેશે. પણ જ્યારે સત્તાવાળા એક હદથી વધારે જુલમ કરવા લાગે ત્યારે પરજાનો બાટલો આખરે ફાટે જ છે.’ ‘એ પણ પહેલાં બિહારના ગુંડારાજમાં સાબિત થયુ...
- Get link
- X
- Other Apps