કોંગ્રેસે તેના પ્રવક્તાઓને કહ્યું છે કે એક મહિના સુધી તમારે કોઈ ટીવી ચેનલોમાં બોલવા માટે જવાનું નથી ! લો કરો વાત…
***
અમે કહીએ છીએ કે એના બદલે મનમોહનસિંહને જ મોકલી આપો ને !
એમને તો દસ વરસ લગી ચૂપ રહેવાનો અનુભવ છે !
***
કોંગ્રેસને ડર શું લાગે છે ? કે ત્યાં બહુ અઘરા સવાલોની ઝડી વરસશે… પણ મનમોહનજી કહેશે :
“હજારોં જવાબોં સે, મેરી ખામોશી અચ્છી, ન જાને કિતનોં કી આબરુ રખ્ખે !”
***
ચૂંટણી ચાલતી હતી ત્યારે તો સવાલો સાવ સહેલા હતા. જેમ કે :
સવાલ : 72000વાળી યોજના માટે તમે 4 લાખ 30 હજાર કરોડ ક્યાંથી લાવશો ?
જવાબ : વેરી સિમ્પલ. ટુજી કૌભાંડ 1 લાખ 67 હજાર કરોડ, વત્તા કોલસા કૌભાંડ 1 લાખ 87 હજાર કરોડ, વત્તા કોમનવેલ્થ કૌભાંડ 40 હજાર કરોડ… વગેરે. હીહીહી
સવાલ : મોદી વિશે..
જવાબ : ચોકીદાર ચોર હૈ.
સવાલ : રાહુલ ગાંધી...
જવાબ : મેચ્યોર થઈ ગયા છે!
સવાલ : પ્રિયંકા ગાંધી…
જવાબ : એમનું નાક ઇન્દિરાજી જેવું છે !
***
જોયું ? કેટલું સહેલું હતું ? પણ હવે જો ટીવી ચેનલમાં જઈએ તો કેવા કેવા અઘરા સવાલોનો સામનો કરવો પડે ?
અઘરો સવાલ : કેમ હારી ગયા ?
વધારે અઘરો સવાલ : વધારાની 8 સીટો શી રીતે જીતી ગયા ?
એનાથી વધારે અઘરો સવાલ : હવે શું કરશો ?
સૌથી વધારે અઘરો સવાલ : રાહુલ ગાંધી ખરેખર રાજીનામું આપી દેશે તો કોંગ્રેસ પ્રમુખ બનવા તૈયાર કોણ થશે ? હીહીહી
***
જોકે સારું થયું કે આ એક મહિનાનો ‘પ્રતિબંધ’ લગાડ્યો. (ફ્રીડમ ઓફ સ્પીચ તો ઈન્ટેલેક્ચુયઅલ્સ માટે હોય, કોંગ્રેસીઓ માટે નહિ)
નહિતર કેટલા બધા કોંગ્રેસીઓને સાચું બોલવા બદલ સસ્પેન્ડ કરી દેવા પડ્યા હોત ?
***
“મૈં ભી ચોકીદાર”ની જેમ કોંગ્રેસમાં ચાલ્યું છે : “મૈં ભી મનમોહન !”
***
અલ્યા, બધા મહિના માટે ચૂપ રહો, રાહુલજી ‘વિશ્વેશ્વરૈયા’ બોલવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે !
***
- મન્નુ શેખચલ્લી
Sarcasm at its best!
ReplyDelete