મહાનુભાવોનાં અમુક વાક્યો તેમની આખી જિંદગીના નીચોડ સમાન હોય છે. એ જ રીતે અમુક કહેવતો સમાજની સચ્ચાઈને બતાડતી હોય છે. સમજુ લોકોએ આ યાદ રાખવા જેવું હોય છે…
***
બુદ્ધિ પ્રતિભા અને મુરખાઈ સ્ટુપિડીટી વચ્ચે એક જ ફરક હોય છે…
કે બુદ્ધિ પ્રતિભાની એક લિમિટ હોય છે.
***
આફ્રિકાની એક કહેવત :
ઘેટાં અને બકરાં આખી જિંદગી વરૂ અને શિયાળથી ડરતાં રહે છે પરંતુ છેવટે એનો માલિક જ એને કસાઈને હાથે સોંપી દેતો હોય છે !
***
તુર્કીની કહેવત :
જ્યારે એક જોકર મહેલનો માલિક બને છે ત્યારે તે રાજા નથી બની જતો. ઉલ્ટું, આખો મહેલ એક સર્કસ બની જાય છે !
***
ગ્રીસની કહેવત :
જે માણસ પોતાના ખિસ્સાંને મજબૂત બનાવ્યા વિના માત્ર શરીરને મજબૂત બનાવે છે, તે છેવટે એવા માણસનો ચોકીદાર બને છે જેણે પોતાનું ખિસ્સું મજબૂત બનાવ્યું છે, શરીર નહીં.
***
બ્રાઝિલની કહેવત :
જે લોકોએ તમને એકવાર દગો દીધો છે તે અનેક વાર દગો જ દેશે. દરિયાનું પાણી ખારું છે તે જાણવા માટે આખો દરિયો પીવાનો ના હોય.
***
ગામના એ ચોતરા પર ના બેસો જ્યાં બેસીને લોકો બીજાઓની કુથલી કરતા હોય. કેમકે તમે ત્યાંથી ઊઠીને જશો કે તરત તમારી કુથલી થશે.
(આ કહેવત બની ત્યારે સોશિયલ મિડીયા નહોતું.)
***
તમે જ્યારે મરી જાવ છો ત્યારે તમને ખબર નથી હોતી કે તમે મરી ગયા છો. મોતની પીડા બીજા લોકોએ ભોગવવી પડે છે.
તમે જ્યારે ‘સ્ટુપિડ’ હો ત્યારે પણ આ જ બને છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment