સરકાર વિચારી રહી છે કે મજદૂર કાનૂનમાં ફેરફાર કરીને 8 કલાકને બદલે 9 કલાકનો ‘દિવસ’ કરવામાં આવે.
સાંભળવામાં તો આમ સરળ લાગે છે પણ જતે દહાડે અલગ અલગ ટાઈપના મજુરોનું રિ-એકશન શું હશે ? કલ્પના કરો…
***
સરકારી મજદૂર
“એટલે ? શું અમારે રોજ એક કલાક વધારે માખીઓ મારવાની ?”
***
મનરેગા મજદૂર
“એટલે ? શું અમારે રોજ એક કલાક વધારે બગાસાં ખાતાં બેસી રહેવાનું ?”
***
ખાનગી મજદૂર
“એટલે ? શું અમારે રોજ એક કલાક વહેલાં કડીયા-નાકે પહોંચી જવાનું ?”
***
યુનિયનનો મજદૂર
“એટલે ? શું અમારે રોજ એક કલાક વધારે વાંધા-વચકા કાઢીને કામ નહીં કરવાનું ?”
***
શીફ્ટનો મજદૂર
“એટલે ? ત્રણ શીફ્ટના અગાઉ તો 24 કલાક થતા હતા. (8 x 3 = 24) હવે 27 કલાક થશે ! તો વધારાના ત્રણ કલાક દિવસમાં કોણ ઉમેરી આપશે ? તમારો ભગવાન કે અમારો ફેકટરી માલિક ?”
***
વફાદાર મજદૂર
“એટલે ? અમને હવે 27 કલાકવાળી ઘડિયાળો નીકળશે ?”
***
દારૂડીયો મજદૂર
“એટલે ? અમારે રોજ એક કલાક મોડા દારૂ પીવા બેસવાનું ?”
***
પરણેલો મજદૂર
“હાશ… બૈરીની એટલી કચકચ તો ઓછી !”
***
બેરોજગાર ગ્રેજ્યુએટ મજદૂર
“જોયું ? અર્થશાસ્ત્રીઓ સાચું જ કહેતા હતા. ભારતની બેરોજગારીમાં 12 થી 13 ટકાનો વધારો થવાનો છે… તો થયો ને ?”
***
- મન્નુ શેખચલ્લી
વાહ સર 🤣😀😀
ReplyDelete