અઘરા અઘરા સ્ટુપિડ સવાલો !

દુનિયાનો એકમાત્ર અઘરો સવાલ એ નથી કે ‘જો સૂરજ ડૂબી જાય છે તો તે ભીનો કેમ નથી થતો ?’

સિવાય પણ એટલા જ સ્ટુપિડ સવાલો છે…

*** 

જો વહેલી ઊંઘ આવી જાય એવ ગોળી બની શકે છે તો વહેલી જાગી જવાય એવી ગોળી કેમ નથી બનાવતા ?

*** 

જો સાબુ વડે નહાવાથી શરીરનો મેલ દૂર થઈ જાય છે તો એ પછી શરીરને જે ટુવાલ વડી લૂછીએ છીએ એ કેમ મેલો થઈ જાય છે ?

*** 

જો મર્યા પછી કોઈ પાછું આવતું જ નથી તો સ્વર્ગ કેવું હોય અને નર્ક કેવં હોય એની આપણને ખબર શી રીતે પડે ?

*** 

જો મંદિરમાં ચડાવેલો પ્રસાદ ઘેર ઘેર સૌ લોકોમાં વહેંચવામાં આવે છો તો મંદિરમાં ચડાવેલા પૈસા કેમ વહેંચાતા નથી ?

*** 

શરીરમાં ગમે ત્યાં દુઃખાવો થતો હોય તો આપણે પેઇનકીલર ગોળી લઈએ છીએ. પણ પેટમાં ગયા પછી ગોળીને શી રીતે ખબર પડે છે કે શરીરના કયા ભાગમાં દુઃખાવો મટાડવા જવાનું છે ?

*** 

જો બ્યુટિશીયનો એમ કહે છે કે પાણી પીવાથી ચહેરા ઉપર ગ્લો આવે છે તો ભેંસ કેમ કાળી ને કાળી રહે છે ?

*** 

જો ૮૫ ટકા ઓઇલ વિદેશથી જ આવે છે તો પેટ્રોલ પંપ ઉપર ‘ઇન્ડિયન ઓઇલ’ કયા લોજિકથી લખે છે ?

*** 

‘જલ હી જીવન હૈ’ એ સ્લોગન તો સારું છે પણ માણસ પાણીમાં ડૂબે તો મરી કેમ જાય છે ?

*** 

જો તડકો પડવાથી પાણી સૂકાઈ જાય છે તો એ જ તડકો લાગવાથી પરસેવો કેમ નીકળે છે ?

*** 

જો રોટલીના ટુકડા કરીને જ ખાવાની હોય તો એને આટલી સરસ ગોળ બનાવવાની જરૂર જ શું છે ? હેં ?

***

મન્નુ શેખચલ્લી

Comments