સુવિચારો વિશે સુવિચારો !

આપણા મોબાઈલમાં સવાર સવારે જે સુવિચારો ટપકી પડે છે એનાથી ભારતનાં દિમાગોમાં થોડી ઘણી અસર પણ થતી હશે ખરી ?
મિત્રો, સુવિચારો વિશે પણ સુવિચાર કરવાનો સમય પાકી ગયો છે ! જેમકે…

*** 

મિત્ર, આજનો મારો સુવિચાર….

….

….

ઓરીજીનલ નથી !

કેમ કે સવાર સવારના ટોઇલેટમાં બેઠાં બેઠાં નવો સુવિચાર કરવાને બદલે સુવિચાર ‘ફોરવર્ડ’ કરવાનું વધારે સહેલું છે !

*** 

એકસો ને પચીસમાં વાર આવેલું સુંદર ‘પ્રેરણાત્મક’ વાક્ય…

….

….

‘ડિલીટ’ કરવાની જ પ્રેરણા આપી શકે છે !

*** 

જો તમે મારો આ સુવિચાર ડિલીટ કરશો તો…

….

….

તો તમે શું તોડી લેવાના ?
તમારું, ઈન-બોક્સ ?

*** 

મિત્ર,
હું તમને છેલ્લા એક વરસથી રોજ એક સારો વિચાર મોકલીને તમને સુધરવાની પ્રેરણા આપી રહ્યો છું….

….

….

છતાં યાર,
તમે હજી યે સુધર્યા નથી ?

*** 

જો તમને લાગતું હોય કે સુવિચારોનો ફેલાવો કરવા છતાં દુનિયામાં 1 ટકાનો પણ ફેર પડવાનો નથી, તો…

….

….

તો આ મેસેજ બીજા 20 જણાને ફોરવર્ડ કરવાને બદલે.

….

બીજા 40 જણાને ફોરવર્ડ કરો !


આમેય,
શું ફેર પડવાનો છે ?

***

 - મન્નુ શેખચલ્લી

Comments