આજકાલ અમુક સમાચારો ઓલરેડી એવા મસાલેદાર આવી રહ્યા છે કે વાત ના પૂછો ! છતાં એની ઉપર વઘાર કરવાનું મન થઈ જાય છે…
***
સમાચાર
હરદ્વાર કુંભમેળામાં અમુક અખાડાઓ વચ્ચે ઝગડા થઈ રહ્યા છે.
વઘાર
શં એટલે જ મોદીજીએ કુંભમેળો સમાપ્ત કરવા માટે વિનંતી કરી છે ?
***
સમાચાર
વિશ્વમાં કોરોના ફેલાવનારા ચીનનો GDP 18 ટકા વધી ગયો છે.
વઘાર
કોરોના તો આપણે પણ ફેલાવી નાંખ્યો છે પણ ભારતમાં ને ભારતમાં જ ! હવે એક્સ્પોર્ટનું વિચારો...
***
સમાચાર
આંધ્રમાં વેક્સિન ખૂટી પડી. મુખ્યમંત્રી જગન રેડ્ડીએ કેન્દ્ર પાસે માગી.
વઘાર
એકચ્યુઅલી તો જગન રેડ્ડીએ સી આર પાટિલની મદદ માગવા જેવી છે.
***
સમાચાર
શાળાઓની ફી 50 ટકા માફ કરવા વાલીઓની માગણી.
વઘાર
આવતા વરસે પણ બધાને પરીક્ષા વિના પાસ કરી દેવાની વિદ્યાર્થીઓની માગણી !
***
સમાચાર
108ની વાન હવે સાયરન નહીં વગાડે કેમ કે તેનાથી લોકોમાં દહેશત ફેલાય છે.
વઘાર
સાચી વાત. હવે માત્ર VIP નેતાઓનાં વાહનો જ સાયરન વગાડશે. લોકોએ તો એમનાથી જ ડરવાની જરૂર છે !
***
સમાચાર
બંગાળમાં ચૂંટણીની રેલીઓ હવે રાત્રે 10 ને બદલે સાંજે 7 પછી નહીં યોજી શકાય.
વઘાર
ઓહો ! કોરોનાની તાકાત એટલી બધી વધી ગઈ ? ચૂંટણી સભાઓને પણ પીછેહઠ કરવી પડે છે !? બચો... અને બચાવો...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment