યે ક્યા હો રહા હૈ ?

કોરોનાની નવી લહેરે ખળભળાટ મચાવી દીધો છે. ચારેબાજુથી અંધાધૂંધી છે. લોકો કંઈક કહે છે, સરકાર કંઈક બીજું જ કહે છે અને કોર્ટ  વળી કંઈ ત્રીજો જ રાગ આલાપે છે…

***

લોકો કહે છે :

નેતાઓએ સ્થિતિ બગાડી છે

સરકાર કહે છે :

લોકોએ નિયમો પાળ્યા નથી

કોર્ટ કહે છે :

યે ક્યા હો રહા હૈ ?

***

લોકો કહે છે :

ઇન્જેક્શનો મળતાં નથી

સરકાર કહે છે :

પુરતો સ્ટોક આપેલો છે.

સીઆર પાટિલ કહે છે :

હું મફતમાં વહેંચીશ !

કોંગ્રેસ કહે છે :

યે ક્યા હો રહા હૈ ?

***

લોકો કહે છે :

મરી ગયા રે… મરી ગયા રે…

સરકાર કહે છે :

કોરોનાથી મરનારા ઓછા છે.

મિડિયા કહે છે :

સ્મશાનમાં પણ લાઈનો છે…

યમરાજ કહે છે :

ટાઇમ નથી, એપોઇન્ટમેન્ટ લઇને આવો !

ચિત્રગુપ્ત કહે છે :

યે ક્યા હો રહા હૈ ?

***

લોકો કહે છે :

બચાવો… બચાવો…

સરકાર કહે છે :

ડરવાની જરૂર નથી…

ડોક્ટરો કહે છે :

વેક્સિન લઇ લો…

નિષ્ણાતો કહે છે :

વેક્સિન લીધા પછી પણ કોરોના થઈ શકે..

વોટ્સએપની જોક કહે છે :

કોરોના તો ચૂંટણીથી મટે છે !

મન્નુ કહે છે :

યે ક્યા હો રહા હૈ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments