હરણનું સુશાંત ક્યારે ?

સુશાંત સિંહના કેસમાં મામલો ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે ? કંઈ સમજાતું જ નથી….


- સૌથી પહેલાં તો સુશાંત સિંહની લાશ પંખે લટકતી મળી.

- પછી એ આત્મહત્યા હતી કે હત્યા તેની ચર્ચા ચાલી.

- એમાં વળી અચાનક કંગના રાણાવત અને બીજા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકોએ ‘નેપોટિઝમ’ના આરોપ લગાવવા માંડ્યા.

- દરમ્યાનમાં મુંબઈ પોલીસે ફિલ્મી હસ્તિઓની પૂછપરછ કરવા માંડી.

- એવામાં સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી સામે કરોડોની છેતરપિંડીની ફરિયાદ બિહારમાં નોંધાવી.

- બિહાર પોલીસ અને મુંબઈ પોલીસ આમને સામને આવી ગઈ.

- મુંબઈમાં આવેલા એક બિહારી પોલીસ અધિકારીને સીધા ક્વોરન્ટાઈન કરી દેવાયા.

- હવે તો નેતાઓ અને મિડિયાએ હોહા મચાવવા માંડી.

- છેવટે CBIને તપાસ સોંપવામાં આવી.

- CBIએ રિયા ચક્રવર્તીની પૂછપરછ કરવા માંડી.

- ત્યાં તો ન્યુઝ ચેનલોમાં રિયા ચક્રવર્તીના ‘બચાવ પક્ષ’ અને  ‘આરોપ પક્ષ’ એવા બે ભાગલા પડી ગયા.

- એમાં વળી ડ્રગ્સનો એંગલ ઉમેરાયો. મુંબઈના ડ્રગ્સ પેડલરો અને ડિલરોની ધરપકડ થવા માંડી.

- એવામાં સંજય રાઉતે કંગનાને મુંબઈમાં પગ નહીં મુકવાની ચેતવણી આપી.

- કંગના સામી ભડકી… બન્ને વચ્ચે ‘નિવેદન યુધ્ધ’ ફાટી નીકળ્યું…. જેમાં અમદાવાદ પણ હડફેટમાં આવી ગયું….

***

એક જુનો અને જાણીતો રમૂજી કિસ્સો છે કે એક મહારાજ કથા કરતા હતા. તે બોલ્યા કે “સીતાનું હરણ થઈ ગયું…” આખી કથા પુરી થયા પછી એક ભોળો ગામડિયો મહારાજને પૂછે છે : “મહારાજ, એ પછી હરણની ફરી સીતા થઈ કે નહીં ?”

- સુશાંત કેસનું પણ આવું જ છે ! ભોળી પ્રજા બિચારી વિચાર જ કર્યા કરે છે કે “પછી હરણનું ફરી સુશાંત થશે કે નહીં ?”

***

- મન્નુ શેખચલ્લી

 

Comments