(ઔરંગાબાદ રેલ દુર્ઘટના વિશે)
જ્યારે આપણો બેડરૂમ
વધારે પડતો
ઠંડો થઈ ગયો, અને
આપણે જાગી ગયા...
એ જ વખતે
એ લોકો થાકીને
પાટા ઉપર
સૂઈ ગયા હશે.
***
જ્યારે આપણે
ઠંડી ચાદર
જરા ઉપર ખેંચી હશે..
એ જ વખતે
પેલાં લોખંડી પૈંડાં
ફરી વળ્યાં હશે.
***
જ્યારે આપણે બ્રેકફાસ્ટમાં
બ્રેડ ઉપર બટર
લગાવ્યું હશે...
એ જ વખતે
પેલી સૂકી રોટલીઓના
ફોટા પડ્યા હશે.
***
જ્યારે આપણને ઘરમાં
બ્રેકિંગ ન્યુઝ મળ્યા...
એ જ વખતે
એમની લાશો
શબઘરમાં ગઈ હશે.
***
અને, કોણ જવાબદાર ?
એવી ચર્ચા શરૂ થઈ
એ જ વખતે...
એમને ફોનમાં
‘નો રિપ્લાય’ મળ્યા હશે.
***
કાલે, આપણે આ
કવિતા ભૂલી જશું
એ જ વખતે...
ન્યુઝને નવી
ઘટના મળી જશે
અને હા,
કોઈ નેતાની
‘એમને’ પણ
‘સાંત્વના’ મળી જશે !
***
ફરી જુની કવિતાઓને
નવી દાદ મળી જશે,
ફેસબુકમાં કવિઓને
વાહ વાહ મળી હશે
એ જ વખતે...
પેલા,
લોખંડી પૈંડાના ડાઘા
સાફ થઇ ગયા હશે.
***
- મન્નુ શેખચલ્લી
😪😪😪
ReplyDeleteThank you
Deleteસાચું કહ્યું. સજ્જન અને સુસંસ્કૃત લોકો માં થી અડધાએ તો કદાચ સવારે મોં મચકોડ્યા હશે : "શું આ છાપા ને ટી વી વાળાઓ સવાર સવાર માં આવા ગંદા ફોટા દેખાડે છે. સાલી ચાની મઝા બગાડી ગઈ. "
ReplyDeleteलहू-लुहान नज़ारों का ज़िक्र आया तो
शरीफ़ लोग उठे दूर जा के बैठ गए
આપના અભિપ્રાય બદલ ખુબ આભાર ! મારી ટેકનિકલ અણ આવડતને કારણે કોમેન્ટ પબ્લિશ પણ નહોતી થતી અને મને પણ દેખાતી નહોતી. તકલીફ બદલ ક્ષમા ચાહું છું.
Delete