દિલ્હી પરિણામોના બોધપાઠ...


ચાલો, દિલ્હીનાં પરિણામોથી એક વાતની શાંતિ તો થઈ ગઈ કે EVM ઉપર કમ સે કમ એક રાજકીય પાર્ટીની શ્રધ્ધા થોડા સમય સુધી ટકેલી રહેશે !

બીજી વાતની શાંતિ એ પણ થઈ કે છેલ્લા 60 દિવસથી ન્યુઝ ચેનલો અને સોશિયલ મિડિયામાં જે કાગારોળ મચી હતી એમાં થોડી રાહત મળશે !

બાકી, આ પરિણામો પછી BJPએ થોડા બોધપાઠ લેવા જેવા છે. જેમ કે…

***

બોધપાઠ – 1

મણિપુર અથવા ત્રિપુરામાં જે રીતે 2 સીટ હોય તો પણ સરકાર રચી શકાય એવું દિલ્હીમાં થતું નથી.

***

બોધપાઠ – 2

દિલ્હીની સરહદો અને બાંગ્લાદેશની સરહદો ભૌગોલિક રીતે અને માનસિક રીતે સંપૂર્ણપણે અલગ-અલગ ઠેકાણે આવેલી છે.

***

બોધપાઠ – 3

બાંગ્લાદેશના ઘૂસણખોરો દિલ્હીમાં ચાલી રહેલા વિકાસકાર્યોમાં કોઈ નડતર ઊભાં કરી શકતાં નથી.

***

બોધપાઠ – 4

જો 60 દિવસ સુધી ગુડગાંવ તરફ જવાનો રસ્તો બ્લોક થયેલો હતો છતાં આપણને ચાલી જતું હતું તો છેક હવે સુપ્રિમમાં જવાની શી જરૂર હતી ?

***

બોધપાઠ – 5

ચાલો, જે થયું તે થયું.. હવે ન્યુઝ ચેનલોને ટિટિયારો કરવા માટે બીજો કોઈ મુદ્દો શોધી આપવો પડશે.

***

બોધપાઠ – 6

EVMમાં ખરેખર કંઈ ગડબડો ઊભી થઈ લાગે છે ! ઝડપથી શોધી કાઢવું પડશે !

***

બોધપાઠ – 7

જે હોય તે, દિલ્હીના લોકો ધીમે ધીમે દેશદ્રોહી થતા જાય છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments