કાશ્મીરમાં મહેબૂબા સરકારના પતન પછી હવે શું થશે?
આવા ગંભીર સવાલો ગંભીર ટાઈપના વિદ્વાનોને થઈ રહ્યા છે.
જોકે અમને તો સાવ ‘સ્ટુપિડ’ ટાઈપના સવાલો થઈ રહ્યા છે ! જેમ કે…
***
હવે રાષ્ટ્રપતિ શાસન આવી ગયું છે તો પેલા પથ્થરબાજો પથ્થરમારો કરવા માટે છેક દિલ્હી આવશે ?
કે પછી ત્યાં જ ગવર્નર-હાઉસ ઉપર પથરા ફેંકીને કામ ચલાવી લેશે ?
***
અને પેલા 600 પથ્થરબાજોના હાથમાંથી પથ્થરો છોડાવીને બોલ પકડાવ્યા હતા એ લોકો શું કરશે ?
- બોલમારો ?
***
કહે છે કે હવે આર્મી સખત હાથે કામ લેશે… તો શું પેલા ભાડૂતી આતંકવાદીઓ હવે પાકિસ્તાન પાસે ડબલ પગારની માગણી કરશે ?
કે પછી પાકિસ્તાન એમના ‘જીવન વીમા’ની રકમ જ ડબલ કરી નાંખશે ?
***
આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો એવું સાબિત કરવા માટે શું આતંકવાદીઓ હવે શ્રાવણ મહિનામાં પણ ‘યુદ્ધવિરામ’ની માગણી કરશે ?
***
અને પાકિસ્તાનના ઝંડાઓ બનાવવાનો જે લઘુ-ઉદ્યોગ છે તેનું શું થશે ? શું એ ભાંગી પડશે ? કે પછી ઝંડાઓની ડિમાન્ડમાં વધારો થશે ?
***
અગાઉ તો નોટબંધીના કારણે બિચારા આતંકવાદીઓની આર્થિક રીતે કમર તૂટી ગઈ હતી !
પણ હવે તો સાલી, જુની નોટોના પણ 90% ભાવ ઊપજે છે ! તો શું પાકિસ્તાન આપણી જુની નોટો ઊંચા ભાવ આપીને ખરીદી લેશે ?
***
એક સવાલ તો સખત કન્ફ્યુઝિંગ છે…
શું આવનારી અમરનાથ યાત્રામાં જોડાવું એ ‘દેશભક્તિ’ કહેવાશે ? (કારણ કે એનાથી સેનાનું નૈતિક બળ વધે.)
કે પછી અમરનાથ યાત્રાનો બહિષ્કાર કરવો એ ‘દેશભક્તિ’ કહેવાશે ? (કારણ કે ટુરિઝમથી પેલા ગદ્દાર કાશ્મીરીઓને જ કમાણી થાય છે.)
જવાબો મળે તો કહેજો ! જય કાશ્મીર.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment